૧૯૫૯ થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની પ્રેકટીસ કરે છે. સુરત ની સર કે.પી. કોલેજ ઓફ કોમર્સમાં ખંડ સમયનાં પ્રધ્યાપક તરીકે ૨૭ વર્ષ અને ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં બાવીસ વર્ષ ખંડ સમયના પ્રાધ્યપક તરીકે રહયા.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત ચાર વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકે રહયા. ધી પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક સુરતમાં ૧૯૮૧-૮૨ થી ડીરેકટર તરીકે અને સતત બાર વર્ષ સુધી ચેરમેન તરીકે રહયા. શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ માં શરૂઆતનમાં જ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ અને ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિમાં શરૂઆતથી જ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે.
શ્રી બાપજી ભકત મંડળ ઉધના, સુરતમાં વર્ષોથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. સુરત મોઢ વણિક સમસ્ત પંચમાં ખજાનચી તરીકે સેવા આપી હતી.
૧૯૪૬ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અને સુરત વિભાગ સંઘ ચાલક તરીકે રહયા હતા. સંઘ પરના પ્રતિબંધિના કારણે ૧૯૪૮ માં સુરત જેલમાં અને ૧૯૭૫ માં સાબરમરતી સેન્ટ્રલ જેલમાં રહયા હતા.