spacer
 
 
Shrimati D.R. Rana
Vidyasankul
right corner
right bottom corner
spacer
  top
home Home
contact Contact
sitemap Sitemap
photo
Late
Pandit Deendayal
Upadhyaya

Home > Shri Fakirbhai C. Chauhan

Shri Fakirbhai C. Chauhan
શ્રી ફકીરભાઈ ચૌહાણ
 
Shri Fakirbhai C. Chauhan
Eminent Educationalist - Banker
Former Mayor - Surat
Former Chairman, Guj. M.F.B.
શિક્ષણ સંયોજક ટ્રસ્ટી: શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ

ફકીરભાઇ ચૌહાણનો એક જ વાક્યમાં પરિચય એટલે સાચા કર્તવ્યનિષ્ઠ સમાજસેવક અને આજીવન શિક્ષક જેમણે આજીવન સેવાનો ભેખ ધારણ કર્યો છે. અને નામને અનુરૂપ ગુણ જાણે તેમનામાં સીંચી સીંચી ને ભર્યા છે. એવા વિરલ વ્યક્તિત્વનાં માલિક આ શાળા શિક્ષણ ધૂરા સંભાળી રહ્યા છે.

શ્રી ફકીરભાઇ ચૌહાણનો જન્મ ૧૯ મી મે ૧૯૩૮ ના રોજ ખૂબ જ ગરીબ કુટુંબમાં થયો હતો. અનેક વીટંબણાઓ, મુશ્કેલીઓ, દુઃખ સાથે બાળપણ વિતાવી પ્રાથમિક પરીક્ષા પાસ કરી શિક્ષકની નોકરી મેળવી. શિક્ષણનો જીવ એટલે આગળ અભ્યાસ કર્યો અને નોકરીની સાથે એસ.એસ.સી ની પરીક્ષા પાસ કરી. સ્વ મહેનતે આગળ વધવાની ઉંડી અંતર ઈચ્છાને કારણે ૨૧ મી જૂન ૧૯૬૩ ના રોજ 'ભારતીશ વિદ્યાગૃહ'નામે ટયુશન કલાસ શરૂ કર્યા અને તે ટ્યુશન કલાસને મહેનત, આગવી સૂઝ તથા આત્મવિશ્વાસ થી સફળતાની ચરમસીમા સુધી લઈ ગયા. વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પ્રિય બન્યા અને સમાજમાં પોતાની વિશેષ આગવી ઓળખ ઉભી કરી. શિક્ષણની સાથે રાજકારણમાં પ્રવેશ્યા અને તેમાં પણ સફળ રહ્યા !

 
૧૯૫૬ ૨૩મી જૂન જન સંઘના સ્થાપક પ્રાતઃસ્મરણીય શ્રી શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ આર.એસ.એસ. અને જનસંઘમાં પ્રવેશ
૧૯૬૩ થી ૧૯૮૫ ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ
૧૯૮૫ થી ૧૯૯૦ ભાજપનાં શહેર જીલ્લાનાં મહામંત્રી
૧૯૯૦ થી ૧૯૯૭ ભાજપનાં શહેર જીલ્લાનાં પ્રમુખ
૧૯૯૫ થી ૧૯૯૬ સુરત મહાનગર પાલિકાના મેયર
૧૯૯૫ થી ૧૯૯૮ સુરત મહાનગર પાલિકામાં પક્ષના નેતા
૧૯૯૮ થી ૨૦૦૨ અધ્યક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ
૧૯૬૬ કચ્છ આંદોલનમાં દિલ્હી ખાતે તિહારજેલમાં ૧૦ દિવસનો જેલવાસ
૧૯૭૪ નવનિર્માણ આંદોલનમાં સક્રિય ફાળો
૧૯૭૬ રાષ્ટ્રીય કટોકટીમાં અમદાવાદ સાબરમતી જેલમાં ૯ મહિના જેલવાસ.
૧૯૮૫ આંદોલનમાં બે મહિનાનો જેલવાસ
૧૯૯૦ રામજન્મભૂમિ મંદિરની કારસેવા સમયે બાંદા ઉતરપ્રદેશ ૬ દિવસનો જેલવાસ.
૧૯૭૫ થી ૨૦૦૦ હરિપુરા - મહિધરપુરા વોર્ડમાં સતત મહાનગરપાલિકામાં વિજય
૧૯૯૦ થી ૧૯૯૩ પાણી સમિતિના ચેરમેન તરીકે અભુતપુર્વ કામગીરી - પાણી સમસ્યાનો વિયર કમ કોઝવેના બાંધકામ દ્વારા કાયમી ઉકેલ
૧૯૯૨ સુરતમાં મોટા પાયા પર કોમી રમખાણો ફાટી નીકળ્યા. સફળતાપુર્વક સંરક્ષણાત્મક અને રચનાત્મક અભિગમ દ્વારા સફળ નેતૃત્વ પુરુ પાડવું.
૧૯૯૪ રેલ અને પ્લેગમાં પ્રજા સાથે રહીને સફાઈ ઝુંબેશ, મફત દવા વિતરણ નું આયોજન
૧૯૯૫ સુરત શહેર જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે અને ભાવિ મેયર તરીકેના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચુટણીમાં આખા ભારત ભરમાં સૌથી વધુ ૯૯ માંથી ૯૮ બેઠકો પર વિજય
૧૯૯૫ મેયર તરીકે ભાજપે ચુટણીં ઢંઢેરામાં આપેલા પંચનિષ્ઠાને તાત્કાલિક અસરકારક રીતે અમલમાં મુકયા.
 
(૧) સ્વછતા અભિયાન દ્વારા ભારતનું બીજા નંબરનું સ્વચ્છ સુરત બનાવવું.
(૨) લગભગ ૭૦ કિ.મી. લાંબુ સ્વૈચ્છિક ડીમોલેશન દ્વારા રસ્તા પહોળા કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવી.
(૩) રોગ મુકત સુરતમાં રોગનો દર તદન નીચી સપાટીએ લાવવો.
(૪) હરિયાળા સુરતના કાર્યક્રમમાં લાખો વૃક્ષની ઉછેરની વ્યવસ્થા સાથે વૃક્ષા રોપણ કરાવવું.
(૫) કાર્યક્ષમ અને પ્રામાણિક વહીવટની છબી નિર્માણ કરવી.
૧૯૯૮ થી ૨૦૦૨ અધ્યક્ષમ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરીકે જવાબદારી બજાવી.
 
(૧) ગુજરાત રાજયની ૧૪૩ નગરપાલિકા અને ૬ મહાનગરપાલિકા પૈકી નગરપાલિકાને સરળતાથી ગ્રાંટ લોન મળે તે માટે ઝોનવાર બેઠકો નગરપાલિકાની વ્યકિતગ મુલાકાત, નિયમોમાં ફેરફાર પરિર્વતન પારદર્શકતા અને હકારાત્મક અભિગમ દ્વારા નગર પાલિકાની પ્રાથમિક સુવિધાને સુદઢ કરવી.
(૨) નગરપાલિકાના સરળ વહીવટ અને સ્વાયત્તતા માટે નગરપાલિકાના અધિનિયમ, નગરપાલિકા પેટા નિયમો, મહેકમનું માળખુ, હિસાબની પધ્ધતિ, કરવેરા ના દર વિગેરે માટે માર્ગદર્શન અને સ્વાયત્તતા.
(૩) નગરપાલિકાને વધુ અનુદાન, આર્થિક સ્વાયતતા વિગેરે મળે તે માટે રાજય સરકાર અને ગુજરાત મ્યુનિસિપલ નાણાંપંચને અસરકાર અને પરિણામજનક રજુઆત
(૪) ગુજરાતની ૧૪૩ નગરપાલિકાની સંપુર્ણ વિગત કમ્પ્યુટરાઈઝ (GIS-MIS)
(૫) સૌથી પહેલીવાર ગુજરાતની લગભગ તમામ નગરપાલિકાની સ્થળ પર એક કરતાં વધુ મુલાકાત અને નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા માર્ગદર્શન અને ઉકેલ
૨૦૦૮ થી
(૧) ટોરેન્ટ પાવર તથા ગુજરાત વીજ કંપનીએ વીજળીનાં ભાવમાં કરેલા વધારા સામે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ પરીણામલક્ષી રજુઆત
(૨) સુરત મહાનગર પાલિકાએ સુરતની પ્રજા પર ઝીંકેલા રૂ. ૧૦૦ કરોડના વેરા સામે સુરતમાં જબરજસ્ત આંદોલન ચલાવી રૂ. ૬૫ કરોડનો વેરો પાછો ખેંચાવ્યો. સફળ આંદોલન
(૩) મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપનામાં મહત્વનો ફાળો. પાર્ટીના પ્રચાર વિકાસ અને સ્વીકૃતિ માટે દઢ સંકલ્પ સાથે કાર્ય.
(૪) લોકશિક્ષણ અને લોકજાગૃતિ અને રત્નકલાકાર, નેનો સુજલામ સુફલામ જેવા અનેક કાર્યક્રમો.
૧૯૬૦ થી ૧૯૬૩ શિક્ષક - સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
૧૯૬૩ થી ૧૯૯૬ સંચાલક - ભારતીશ વિદ્યાગૃહ (બાળમંદિર, ધોરણ - ૧ થી ૭ ટયુશન કલાસ)
૧૯૯૩ થી શિક્ષણ સંયોજક ટ્ર્સ્ટી - શ્રી દીનસયાળ સ્મૃતિ ટ્ર્સ્ટ (નર્સરી થી ધો - ૧૨ ની શાળા)
૨૦૦૫ થી ટ્ર્સ્ટી - સાઉથ ગુજરાત મેડીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર. એસ.પી.બી. ફિઝયોથેરાપી કોલેજ
 
Intro | Home | Trust | News | Facilities | Achievements | Inquiry | Contact

Shrimati D.R. Rana Vidya Sankul, Gujarat Housing Board, Palanpur Patiya, Rander Road Surat

© Copyright 200 Dr. Rana Vidya Sankul All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations Info Counter