Eminent Politician Former Union Minister MP (Lok Sabha), Surat.
પ્રમુખશ્રી:- શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ
શ્રી કાશીરામભાઈ રાણાનો જન્મ ૭મી એપ્રિલ ૧૯૬૮ ના રોજ એક સામન્ય પરિવારના રાણા કુટુંબમાં થયો. મહેનતુ સ્વભાવ, કંઈક નવું કરવાની તમન્ના હોય ત્યારે જ્ઞાતિ કે સામાન્ય સ્થિતિ નડતરરૂપ બનતી નથી. 'પરિશ્રમ એ જ પારસમણી', આત્મવિશ્વાસ અને પરિશ્રમથી છલકતા શ્રી કાશીરામભાઈનું બાળપણ દુઃખ ભરેલ સ્થિતિમાં વીત્યું. ઘરની આર્થિક સ્થિતિમાં મદદરૂપ બનવા તાણિયાના કારખાનામાં કામ કર્યુ. કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તેમ કારખાનામાં કામ કરતાં કરતા એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો. પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયના વકતવ્યથી અંજાઈને જનસંઘમાં જોડાયા અને પોતાની ઊંડી સૂઝ, ધગશ કર્તવ્ય નિષ્ઠાથી રાજકારણમાં ઊંડે ઊંડે ખૂંપી ગયા.
નામ
:
શ્રી કાશીરામ છબીલદાસ રાણા
જન્મ તારીખ
:
૭ એપ્રિલ ૧૯૬૮
જન્મ સ્થળ
:
સુરત, ગુજરત, ભારત
ધર્મ પત્ની
:
સ્વ.શ્રીમતી પુષ્પાબેન કે. રાણા
શૈક્ષણિક લાયકાત
:
બી.કોમ., એલ.એલ.બી, એડવોકેટ
રાજકીય ક્ષેત્ર
:
૧૯૭૫-૮૦
:
ધારાસભ્ય, ગુજરાત વિધાનસભા
૧૯૭૭-૮૦
:
ગુજરાત વિધાનસભાની જાહેર સાહસો અંગેની સમિતિના અધ્યક્ષ
૧૯૮૩-૮૪ : ૮૭
:
સુરત મહાનગરપાલિકાના મેયર
૧૯૮૫-૮૭ : ૯૩-૯૬
:
(પ્રમુખ) ગુજરાત પ્રદેશ ભાજપ
૧૯૮૯-૯૧
:
૯મી લોકસભામાં ચૂંટાયા
૧૯૯૦-૯૧
:
રેલ્વે મંત્રાલયની નિયમ સલાહકાર સમિતિના સભ્ય હતા
૧૯૯૧
:
૧૦મી લોકસભા માટે પુનઃ ચૂંટાયા
૧૯૯૧-૯૨
:
ઉદ્યોગ મંત્રાલયની જાહેર હિસાબ સમિતિના સભ્ય હતા.
૧૯૯૬-૯૭
:
૧૧મી લોકસભા માટે પુનઃ ચૂંટાયા, લોકસભામાં ભાજપના નાયબ મુખ્ય દંડક નિમાયા, જાહેર અંદાજ સમિતિ, નાણા વિભાગની સલાહકાર સમિતિ, વાણિજ્ય મંત્રાલયની સ્થાયી સમિતિ, પ્રસારણ ખરડા અંગેની સંયુકત સંસદીય સમિતિના સભ્ય રહ્યા