Trustees

Shri Fakirbhai Chauhan
President
Shri Narottambhai Patel
Trustee
Shri Naleenbhai Desai
Trustee
Smt. Snehlataben Chauhan
Trustee
Shri Dipakbhai Rana
Trustee
Shri Vijaybhai Rana
Trustee
Shri Piyushbhai Desai
Trustee
ટ્રસ્ટનાં હેતુઓ
• કેળવણી વિષયક પ્રવૃત્તિઓ કરવી.
• વૈદકીય રાહત અંગેની પ્રવૃત્તિઓ કરવી.
• લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરવી.
• કુદરતી આફત સમયે લોકોની મદદ કરવી.
• શાળા માટે નક્કી કરેલા વિશેષ નિયમો
• પ્રવેશ સામે કોઈપણ પ્રકારનું ડોનેશન ન લેવું.
• દરેક વર્ગખંડમાં મર્યાદિત સંખ્યા રાખવી.
• સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેવું ફીનું માળખું.
• જરૂરી લાયકાતવાળા, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ.
• શાળાના કર્મચારીગણ ને સરકારી ધારા ધોરણ મુજબ પૂરતો પગાર.

શાળાની શરૂઆત
ટ્રસ્ટનો ઉપરોક્ત હેતુઓને પાર પાડવા તથા માનવસેવા એ જ પ્રભુસેવાની ઉદાત્ત ભાવનાથી તા.૨૮-૦૬-૧૯૯૩ના રોજ શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ગુ.હા.બોર્ડ, પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત ખાતે શ્રીમતી ડી.આર.રાણા વિદ્યાસંકુલનું ભવન ઉભું થયું. એ સાથે જ ટ્રસ્ટીશ્રીઓએ મધ્યમ વર્ગના બાળકો શાળામાં પ્રવેશ મેળવીને ખૂબ સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી શાળાની શરૂઆતથી જ કેટલાંક વિશેષ નિયમો નક્કી કર્યા. જેને આજ પર્યંત વળગી રહ્યા છીએ.

શાળાના હેતુઓ તથા વિશિષ્ટતાઓ
નો-ડોનેશન શાળામાં બાળકના પ્રવેશ સામે ડોનેશન (દાન) લેવામાં આવતું નથી. અમો પ્રમાણિક્તાના સંસ્કાર આપવા માંગીએ છીએ. પ્રવેશ સામેનાં ફરજિયાત દાનને બાળક સોદો/લાંચ સમજે છે. જેથી બાળકમાં શરૂઆતથી જ પ્રમાણિક્તાના બીજ રોપાય છે. અને બાળકમાં નૈતિક મૂલ્યો કેળવી શકાતા નથી. બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય એ હેતુથી સૈધ્ધાંતિક રીતે પ્રવેશ સામે ફરજિયાત દાન ન લેવાનો અમારો નિર્ણય છે તેમજ તમામ સ્તરે પ્રામાણિક્તા સેવાય તે માટે અમો પ્રતિબદ્ધ છીએ.Mission and Vision
વર્ગમાં મર્યાદિત સંખ્યા બાળક માટે સ્વતંત્રતા અને શિસ્ત બંન્ને જરૂરી છે. તેની સ્વતંત્રતા છીનવાય ન જાય, તે શિસ્ત-પ્રિય બને, વર્ગકાર્ય સરળતાથી કરાવી શકાય, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી શકાય અને શિક્ષણની ગુણવત્તા ઊંચી લઈ જઈ શકાય એ હેતુથી બાળ મંદિર / પ્રાથમિકમાં વર્ગદીઠ-૪૫ અને માધ્યમિક વિભાગમાં વર્ગદીઠ-૫૦ વિદ્યાર્થીઓની સંખ્યા રાખવી એ અમારો દ્રઢ નિશ્ચય છે.
શિક્ષકને પૂરતો પગાર ગુણવત્તાવાળું શિક્ષણ માત્ર ગુણવત્તાવાળા શિક્ષકો જ પૂરું પાડી શકે. શિક્ષકોને પોતાની જાત માટે ઊંચો આદર થાય, તેના વ્યવસાયથી જરૂરિયાતો પરિપૂર્ણ થાય, નિષ્ઠાથી કાર્ય કરે, ટ્યુશનની બદીઓથી દૂર રહી ફરજ એ જ દેવત્વ સમજે તેમજ અસરકારક શિક્ષણ પુરુ પાડવા માટે જરૂરી તમામ જ્ઞાન સંપન્ન અને સુસજ્જ શિક્ષણના પાયારૂપ શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ એના પડછાયા બનીને તેને અનુસરે એ હેતુથી શાળામાં શિક્ષકોને સરકારી ધારા-ધોરણ મૂજબ પૂરો પગાર આપવાની અમારી નેમથી અમો ચલિત થયા નથી.


Go To Top